Free Time At Home

પ્રસ્તાવના :
- હમણાં ઘણા દિવસોથી આપણે બધા ઘરમાં જ છીએ.
- ઘરે રહીને એક મહત્વનું કામ કરીએ છીએ તે છે ખાવાનું !😋 ગેઇમ રમવાનું ! સુવાનું !😴
- થોડીવાર ફોનને બાજુ પર રાખીને જોઈએ તો ઘણી જ પ્રવૃતિઓ આપણને આનંદ આપનારી છે.
- તો ચાલો આજે આપણે નવરાશની પળોને થોડી વ્યસ્ત પળોમાં બદલીએ।



નવરાશની પળોમાં કંઈક યાદગાર કરીએ :

રચનાત્મક પ્રવૃત્તિ :-
- રચનાત્મક પ્રવૃતિઓ આપણને સતત કાર્યરત બનાવે છે.
- આળસ, કંટાળો, સુસ્તીને દૂર કરી નવું સર્જન કરવાની વૃત્તિ કેળવે છે.
- ચિત્ર , પેઇન્ટિંગ બનાવીને તેની યાદી બનાવીએ જે આપણને લાંબા સમયે એક મીઠી યાદ આપશે।
- ગીત – સંગીત ગાઈને વિડીયો બનાવીને આપણા મિત્રોને શેર કરીએ।
- કાગળમાંથી બનતા વિવિધ પ્રાણીઓના આકાર અને બીજી કેટ-કેટલી આકૃતિઓ જે આપણી શાળામાં આપણે કરતા તેને ફરી બનાવીએ અને આપણા બાળકોને પણ બતાવીએ।

મનપસંદ પ્રવૃત્તિ :-
- મનપસંદ પ્રવૃતિઓ દરેક માણસના મન પર આધારિત છે.
- જે પ્રવૃતિઓ બાળપણમાં આપણી ફેવરિટ હતી જે ક્યાંકને ક્યાંક આપણા વ્યસ્ત સમયમાં કરી શકતા નહોતા તે અત્યારે કરીએ।
- આપણે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે મને ટાઈમ નથી મળતો , નહી તો હું આમ કરત ! તો
- તો ચાલો આપણી મનપસંદ પ્રવૃત્તિ કરી અને આપણા પરિવારની સાથે શેર કરી એક સારી યાદ બનાવીએ।

કસરત કરવી :-
- કસરત કરવાથી અનેક ફાયદા થાય છે તે બધા જ જાણે છે.
- પણ કસરત કરવાનું મન નથી થાતું😟 એનું શું કરવું 😜 ?
- એના માટે આપણે ઘરના સભ્યોએ એક સમય નક્કી કરીને પછી સાથે મળીને કસરત કરવી જોઈએ।
- એકાદ દિવસ કંટાળો આવશે પણ એકબીજાને જોઈ ખરેખર કસરત કરવાની મજા આવશે।
- આનાથી સમય પસાર થશે અને વડીલોને પણ આનંદ થશે.
- કારણકે આપણે સૌ મોબાઇલને આપણી દુનિયા બનાવી બેઠા છીએ, એમાં આખું ઘર સાથે બેસીને વાતો કરવાનું ભૂલી ગયા છીએ.

ઘરના કામોમાં મદદ :-
- અત્યારના સમયમાં જો કોઈ ફ્રી ન હોય તો એ છે ઘરની મહિલાઓ !
- તેને ઘરની સાફ – સફાઈ થી લઈને દરેકને ભાવે તેવી રસોઈ પણ કરવાની છે.
- એને કોઈ દિવસ રજા જ ન હોય.
- અત્યારે તો તે સૌથી વ્યસ્ત અને સતત ચિંતિત રહે છે કે આજે તો આ બનાવ્યું હવે કાલે શું બનાવીશું ?
- તો આપણે તેને ઘરને સાફ કરવામાં અને શાકભાજી સરખું કરવામાં થોડી મદદ કરી શકીએ જેથી તેને થોડી રાહત મળે અને તે પણ થોડો સમય પોતાને મનપસંદ પ્રવૃત્તિ કરે.

ધાર્મિક ગ્રંથોનું અધ્યયન :-
- અત્યારે દૂરદર્શનમાં ધાર્મિક સિરિયલો આવે જ છે.
- પણ વાંચનની મજા કંઈક અલગ જ છે.
- દરેકના ઘરે એકાદ ધાર્મિક ગ્રંથ કે પુસ્તક હોય જ છે.
- દિવસના થોડો સમય વાંચનને આપીએ।
- જેથી ટાઇમપાસની સાથે સંસ્કારોમાં વૃદ્ધિ થાય.

