લોકડાઉનમાં વધતું વજન

પ્રસ્તાવના :
- હમણાં કેટલાય દિવસોથી આપણે ઘરમાં જ છીએ તેની અસર આપણા મગજ પર પડે છે
- આથી થોડે અંશે આપણે સૌ સુસ્ત, આળસુ થઈ ગયા છીએ.
- ઘરે રહીને એક મહત્વનું કામ કરીએ છીએ તે છે ખાવાનું !😋
- રોજ – રોજ ઘરમાં કંઈક નવીન બનવું જોઈએ તે નક્કી!
- ઘરની લેડીઝ ફોનથી રેસિપી જોયા કરે અને નવું – નવું બનાવ્યા કરે અને આપણે સૌ મજા લઈને ખાઈએ.
- આપણો ખોરાક રૂટિન દિવસો કરતા વધી ગયો છે.
- વધતો ખોરાક શરીરમાં ચરબીનું પ્રમાણ વધારી રહ્યો છે જે આપણા શરીરમાં અનેક રોગોને આવકારી રહ્યો છે.
- આજે આપણે આ લોકડાઉનમાં આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ તેના પર વાત કરીએ.
- જે શરીરના વધતા વજનને ઘટાડવા મદદરૂપ બનશે.
- તેની સાથે કોરોનાના સંક્રમણથી પણ બચાવે.

વજનને સ્થિર રાખવા જરૂરી બાબતો :-
ટાઈમ ટેબલ :
- જીવનમાં ટાઈમટેબલ હોવું જરૂરી છે.
- ટાઇમટેબલ આપણને નિયમિતતા શીખવે છે.
- આથી જ તો સ્કૂલમાં હોય ત્યારથી આપણે ટાઈમ ટેબલ બનાવતા શીખવે છે.
- તો ચાલો, લોકડાઉનમાં આપણે રૂટિન મુજબનું સમયપત્રક બનાવીએ.
- જેમાં કામની સાથે તંદુરસ્તી પણ જળવાય અને વજનને કંટ્રોલમાં રાખી શકાય.

પાણી :
- બિનજરૂરી તત્વોને શરીરની બહાર કાઢવા માટે પાણી આવશ્યક છે.
- રોજનું 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.
- 8 કિલોમીટર ચાલવાથી જેટલી કેલેરી ઘટે તેટલી કેલેરી પાણી પીવાથી ઘટે છે આથી વધતા વજનને અટકાવવા પાણી રામબાણ ઈલાજ છે.
- સવારે લીંબુ સાથે પાણી પીવાથી મગજને ગજબ ફાયદા થાય છે , આથી કોઈપણ કામ કરવામાં કંટાળો આવતો નથી.
- જળ પીવાથી પેટ ભરેલું રહે છે, આથી ભૂખ ઓછી લાગે છે.
- પાણીને જીવનનું અમૃત ગણવામાં આવ્યું છે.
- પાણીથી કોઈપણ અશુદ્ધ દ્રવ્યને શુદ્ધ કરી શકાય છે.

મીઠાઈને બાજુ પર રાખીને શરબતને વધુ મહત્વ :
- અત્યારના સમયમાં ઘરમાં રોજ વેરાયટી બનતી હોય છે એ આપ સૌની પોસ્ટ પરથી ખ્યાલ આવે છે.😋
- આપણે શરીરને સ્ફુર્તિલું રાખવા મીઠાઈથી દૂર રહીને શરબતને મહત્વ આપીશું.
- શરબત ગરમીમાં શરીરને તાકાત આપે છે.
- આથી શરીરની ગરમીમાં રાહત થાય તેવા શરબતો જેવાકે , વરિયાળી, લીંબુ વગેરે પીને તાજગીની અનુભૂતિ કરીએ.

હળવો અને પ્રોટીનવાળો ખોરાક :
- હળવો ખોરાક આપણને પચવામાં સરળ રહે છે.
- આથી આપણે સૌએ પચવામાં સરળ એવો પ્રોટીનયુક્ત આહાર ખુબ જરૂરી છે.
- તાજો અને સરળ ખોરાક લેવાથી આપણે રોગમુક્ત રહીએ છીએ.
- આવો ખોરાક વજન ઘટાડવા માટે યોગ્ય છે.

પ્રમાણસર ઊંઘ :
- કુદરતની રચના પ્રમાણે વહેલી સવારે ઉઠવાનું અને રાત્રે સુઈ જવાનું.
- આ પદ્ધતિથી આપણે વિરુદ્ધ ચાલીને રોગને આવકારીએ છીએ.
- મોડી રાત સુધી જાગીને બપોરે ઉઠીએ છીએ.
- પરિણામે આખો દિવસ સુસ્તી લાગે છે.
- આ કારણે સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો બની જાય છે.
- માટે ટાઈમ ટેબલમાં 8 કલાકની ઊંઘ રાખવી અને તેને ફરજીયાત ફોલો કરવી જેથી શરીરની કાર્યક્ષમતા જળવાય રહે.

ચાલીને થતું કાર્ય :
- અત્યારે અમુક ઉદ્યોગો શરૂ થયા છે અને અમુક લોકો ઘરે બેસીને કામ કરે છે.
- આથી ઓફિસવર્ક કરતા દરેકે સતત બેસી જ રહેવું પડે છે.
- તો તેને ચાલવાનો સમય રહેતો નથી.
- માટે આપણે જયારે ફોન પર વાત કરતા હોય ત્યારે ચાલતા – ચાલતા કરીએ અને આવી જે પ્રવૃત્તિ ચાલતા શક્ય હોય તે કરીને તેનું વજન કંટ્રોલ કરી શકિએ.

